Agniveer Yojana: આ સરકારી નોકરી માટે પ્રાધાન્ય મળશે અગ્નીવિરોને, ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

Agniveer Yojana: હજુ બે દિવસ પહેલા જ કેન્દ્ર સરકાર દ્વારા ભારતના યુવા અગ્નીવિરોને અલગ અલગ સૈન્ય દળોમાં 10% અનામત તેમજ શારીરિક કસોટી ઉપરાંત ઉંમર મર્યાદામાં છૂટછાટ આપી અગ્નીવિરોને રાહત આપી હતી પણ હવે ગુજરાત સરકારે પણ યુવા મિત્રોને ખુશીના સમાચાર આપ્યા છે, તો ચાલો જાણીએ ગુજરાત સરકાર દ્વારા અગ્નીવીર યુવા મિત્રો માટે શું સારા સમાચાર લાવી છે.

Agniveer Yojana: ગુજરાત સરકાર દ્વારા અગ્નિવિરો માટે ખાસ જોગવાઈ

ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અગ્નિવિર તરીકે ફરજ બજાવીને આવેલા યુવા મિત્રોને ગુજરાત સરકાર SRP અને પોલીસ હથિયારધારી પોલીસ મા ભરતી માટે પ્રાધાન્ય આપશે.

આ ઉપરાંત ખબર મળી રહી છે કે અગ્નીવિરો માટે ગુજરાત સરકાર સ્પેશિયલ અનામત કોટા જાહેર કરાશે જે રીતે EWS કેટેગરી નો અનામત કોટા બનાવવામાં આવ્યો તે રીતે, પરંતુ તેના માટે હાલ કોઈ ઓફિસિયલ જાહેરાત થઈ નથી ફક્ત આવા રિપોર્ટ મળ્યા છે પરંતુ SRP અને હથિયારધારી પોલીસમાં તો જરૂર અગ્નીવિરોને પ્રાધાન્ય આપવામાં આવશે.

શા માટે આ ખાસ જોગવાઈ

જ્યારથી કેન્દ્ર સરકારમાં વિપક્ષ ની સ્થિતિ મજબૂત થઈ છે ત્યારથી વિપક્ષ સતત Agniveer Yojana પર આકરા પ્રહારો કરી રહી છે અને તેથી થોડા દિવસો પહેલા કેન્દ્ર સરકાર દ્વારા અને હવે રાજ્ય સરકાર દ્વારા અગ્નીવિરોના ભવિષ્યના હિતને ધ્યાનમાં લઈ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.

ગુજરાતના મુખ્મંત્રીશ્રી દ્વારા ટ્વીટ

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી એ સોશિયલ મીડિયા પ્લેફોર્મ એક્સ પર ટ્વીટ કરી જણાવ્યું કે Agniveer Yojana દ્વારા મુખ્ય હેતુ એ જ છે કે ભારતના સૈન્ય દળમાં વધુમાં વધુ યુવાનો સામેલ થાય અને ભારતનું સૈન્ય યુવા બને.

શું છે અગ્નીવિર યોજના | Agniveer Yojana 2024

Agniveer Yojana દ્વારા 18 થી 21 વર્ષના યોગ્ય યુવા મિત્રોને ભારતના સૈન્યમાં 4 વર્ષ માટે સેવા કરવાનો ચાન્સ મળે છે અને આ દરમ્યાન માસિક ₹30,000-₹40,000 આપવામાં આવે છે, ચાર વર્ષ બાદ ટોટલ અગ્નીવિર યુવા મિત્રો માંથી 10% યુવાનોને કાયમી પોસ્ટ આપવામાં આવે છે અને બાકીનાને 12 લાખ આસપાસ રૂપિયા આપવામાં આવે છે અને આ ફરજ માંથી છુટા કરવામાં આવે છે.

Leave a comment